અહં-મમત્વમાંથી જ જન્મે છે....

" અહં-મમત્વમાંથી જ જન્મે છે ક્રોધ અને ઈર્ષા "


🔵 ક્રોધથી દુઃખ 

                સિકંદરનો એક અંગત મિત્ર હતો. તેણે યુદ્ધમાં સિકંદરને ત્રણવાર મરતાં-મરતાં બચાવ્યો હતો. એકવાર તો તેણે દુશ્મન દ્વારા સિકંદર પર ઝીંકાયેલી તલવાર વચ્ચે આવી પોતા પર ઝીલી લીધી હતી ! જેમાં એનો એક હાથ કપાઈ ગયો હતો. પરંતુ એકવાર બંને વચ્ચે નાની વાતમાંથી બોલાચાલી થઈ. તેમાં સિકંદરે ક્રોધમાં આવી મિત્રનું માથું ઉડાડી દીધું ! પછી સિકંદરને ઘણો પસ્તાવો થયો હતો. તેણે ૩ દિવસ સુધી ખાધું પણ નહીં. પણ હવે શું થાય ! 


🔵 ઈર્ષ્યાથી દુઃખ

                 સ્વિટ્ઝર્લેન્ડ દેશના બ્રિગેડિયર જનરલ જીન લુઈસને પ્રમોશન મેળવી ચીફ બનવાની ખૂબ જ મહત્ત્વાકાંક્ષા હતી, પરંતુ તેને તે તક ન મળી. તેના સમકક્ષ બીજા ઓફિસરને આર્મી ચીફ બનાવવામાં આવ્યો ! જીનને ઈર્ષ્યા જાગી. પેલા ચીફનું ખોટું દેખાય તે માટે તેણે લશ્કરના ખાનગી દસ્તાવેજો રશિયાને આપી દીધા ! જીન લુઈસ ૬૮ વર્ષે નિવૃત્ત થયો. કાવતરું પકડાઈ જતાં તેના બીજા વર્ષે તેને દેશદ્રોહ બદલ ૧૮ વર્ષની જેલ થઈ ! બીજી બાજુ રશિયાએ પણ એ દસ્તાવેજોને આધારે સ્વિટ્ઝર્લેન્ડને ઘણો સમય બ્લેકમેઇલ કર્યું હતું.


" અહં-મમત્વમાંથી જ જન્મે છે કુસંપ "


🔵 કુસંપને લીધે મુસ્લિમોની ગુલામી 

               સને ૧૭૬૧ ની વાત છે , પાણીપતના યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. એક તરફ હતો અહમદશાહ અબ્દાલી અને બીજી તરફ મરાઠાઓ (પેશ્વાઓ). ગાયકવાડ અને સિંધિયા ભેગા થઈ અહમદશાહ સામે લડતા હતા. મરાઠાઓએ અહમદશાહના ' પઠાણોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. અહમદશાહની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. અરે ! આવતા પાછા જવામાં પણ જોખમ થઈ પડ્યું હતું.

              રાત્રે યુદ્ધના વિરામ સમયે અહમદશાહ ભાગી છૂટવાની વિચારો કરી રહ્યો હતો. તેવામાં દૂરથી તેને કેટલીક મશાલો સળગતી હોય તેવું દેખાયું. તેને લાગ્યું કે મરાઠાઓ આપણને મારવા આપણી તરફ આવતા લાગે છે. આથી તેણે ગભરાઈને સેનાપતિને બોલાવ્યો. સેનાપતિ ચાલાક હતો. તેને હિંદુ રાજાઓ સાથે યુદ્ધોનો ઘણો અનુભવ હતોતેણે કહ્યું , ‘ જહાંપના ! બેફિકર રહો, આ જવાળાઓ મશાલોની નથી, કાફિરો આપણને  મારવા આપણી તરફ પણ નથી આવી રહ્યા. વાત જાણે એમ છે  કે એ લોકોમાં ઘણી બધી જાતિઓ છે અને તેઓ એકબીજાનું બનાવેલું જમતા નથી. આથી અલગ-અલગ ચૂલા સળગાવીને ખાવાનું પકાવી રહ્યા છે. '

            અહમદશાહ બે ઘડી વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો, હવે આ રાજાઓને જીતવા મુશ્કેલ નથી. તેમનામાં પૂરતો સંપ નથી તેમનામાં ફાટફૂટ પડાવી શકીશ. ' અને પછી અહમદશાહે તાબડતોબ યોઝના બનાવી. મરાઠાઓમાં અંદર-અંદર મનભેદ કરાવ્યા. છેવટે તેના હુકમ પ્રમાણે પઠાણોના સેન્યે અચાનક આક્રમણ કરી દીધું અને ૪૫,૦૦૦ મરાઠા સૈનિકોનો ખાતમો બોલાવી દીધો. આમ, અંદરોઅંદરના કુસંપને કારણે અહમદશાહ જીતી ગયો. આ રીતે મુસ્લિમ રાજાઓની ૮૦૦ વર્પની ગુલામી પાછળ પણ મુખ્ય કારણ કુસંપ હતું. 

           જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય - રમતગમત હોય કે કુટુંબ, દેશ હોય કે રાજ્ય, સંપ છે ત્યાં જીત છે અને કુસંપ છે ત્યાં હાર છે. 


🔵 કુસંપને લીધે અંગ્રેજોની ગુલામી

             મુસ્લિમો બાદ ભારત જેવો મહાન દેશ અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાં સબડતો રહ્યો, તેના મૂળમાં પણ કુસંપ જ રહ્યો છે. ભારતની તે વખતની વસ્તી ૩૪ કરોડ હતી, છતાં માત્ર ૫૦,૦૦૦ અંગ્રેજો રાજ કરી ગયા ! 

             તા.૨૩-૬-૧૭૫૭ માં રોબર્ટ ક્લાઇવ અને બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા ખાન વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં સિરાજ-ઉદ્-દૌલા પાસે ૭૮,000 સૈનિકો હતા. જ્યારે અંગ્રેજો પાસે માત્ર ૩,૦૦૦ સૈનિકો જ હતા. અંગ્રેજો કોઈ સંજોગે સિરાજ-ઉદ્-દૌલા સામે જીતી શકે તેમ નહોતા. આથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાના બનેવી અને સેનાપતિ મીરજાફરને અને નાયબ સેનાપતિ યારલતીફને નવાબ બનાવવાની લાલચ આપી ફોડ્યા. તથા ભારતના અમીચંદ શેઠ, દુર્લભચંદ અને જગતચંદ શેઠ કે જેઓ ઇસ્ટઇન્ડિયા કંપની સાથે વેપાર કરીને પુષ્કળ પૈસા કમાતા હતા, રોબર્ટ ક્લાઇવે દબાણ કરી તેમની પાસેથી અઢળક ધનસંપત્તિ મીરજાફર અને યારલતીફને અપાવી. 

             પ્લાસીના યુદ્ધ વખતે સિરાજ-ઉદ્દોલાએ સેનાપતિ મીરજાફર અને યારલતીફને આગળ વધવા હુકમ કર્યો. પણ તેઓ ડાબી-જમણી બાજુ વહેંચાઈ ગયા. તેથી તેમની પાછળ પગપાળ અને ઘોડેસવાર સૈનિકો પણ ચાલવા લાગ્યા. આથી સિરાજ-ઉદ્દોલાની મોટા ભાગની લશ્કરી તાકાત તૂટી ગઈ. છતાં તેણે ખૂબ લડત આપી. અંતે હારી જવાથી સિરાજ-ઉદ્દોલા ભાગ્યો, પણ મીરજાફરે તેને શોધી કાઢી ખૂબ જ ઘાતકી રીતે મારી નાંખ્યો ! અંગ્રેજોએ ભારતના સૈનિકોને પકડીને કોલકાતાના ફોર્ટ વિલિયમ કિલ્લામાં ૧૦ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા પૂરી રાખ્યા અને અગિયારમા દિવસે મીરજાફરની હાજરીમાં બધાને મારી નાંખ્યા !

           ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ લખે છે : ‘ અમે જ્યારે કોલકાતા શહેરમાં વિજયયાત્રા કાઢી, ત્યારે હું અને મારા ૩,૦૦૦ સૈનિકો જ હતા. જો નગરના માણસોએ અમારો થોડો પણ , ૧-૧ પત્થર મારીને પણ સામનો કર્યો હોત તો અમે સૌ મરી જાત. પણ અફસોસ કે રાજાના સેનાપતિથી માંડીને સામાન્ય જનતા સુધી ક્યાંય તેમનામાં સંપ જોવા મળ્યો નહીં. ' જો સને ૧૭પ૭ માં ભારત સંપ રાખી જીતી ગયું હોત તો ૨૦૦ વર્ષમાં ૬ લાખથી વધુ ભારતીયોનું મોત થયું ન હોત. ભગતસિંહ, ચંદ્રશેખર અને સુભાષબાબુ જેવા ભારતવીરોને ગુમાવવા ન પડત. 

           ભાઈ ભાઈ વચ્ચે, ભાઇ - બહેન વચ્ચે, માતા - પિતા અને સંતાન વચ્ચે, મિત્રો વચ્ચે, સગા સાથે, પાડોશી સાથે અહ - મમત્વ જ કુસંપ કરાવે છે.


" અહં-મમત્વરૂપ માયા આપણને દુ:ખી કરે છે "


  • પ્રસંગ : હઠને લીધે  દુઃખ

                           મછિયાવના સુરસિંહજી વાઘેલાનાં પત્નીનું નામ સજ્જનકુંવરબા હતું . તેમને સૌ ફઈબા પણ કહેતા હતા. તેમને ત્યાં શ્રીજીમહારાજ સંવત ૧૮૭૬ માં સંતો સહિત પધાર્યા હતા. ફઇબાને મેલાણા ગામનાં તેમનાં પુત્રવધૂ ફૂલીબા સાથે અબોલાં હતાં. સાસુ-વહુ વચ્ચે મતભેદો વધી ગયા હતા. શ્રીજીમહારાજે ફઈબાને અબોલાં મૂકવા ખૂબ સમજાવ્યાં. 
                          છેવટે શ્રીજીમહારાજે કહ્યું, ‘ અબોલાં નહીં મૂકો તો અમે જમીશું નહીં. ’ પણ ફઈબાએ હઠ ન છોડી. છેવટે શ્રીજીમહારાજે સંતોને પંગત પરથી ઉઠાડી દીધા અને ત્યાંથી સંતો સાથે નીકળી ગયા. તે દિવસે શ્રીજીમહારાજ અને સંતોને ભોજન માટે ખૂબ તકલીફ વેઠવી પડી હતી. મછિયાવ નાનું ગામ છે, તોય શ્રીજીમહારાજ ત્યાં ૩૨ વાર પધાર્યા હતા. આ પ્રસંગ બાદ શ્રીજીમહારાજે મછિયાવનું પાણી હરામ કર્યું એટલે કે ફરી ક્યારેય મછિયાવ ગયા જ નહીં. એટલું જ નહીં ત્યારબાદ ગુરુપરંપરામાં પણ કોઈ મછિયાવ ગયું નથી !! 
                           ગોંડલ. વાતચીત દરમ્યાન એક સંતે ફઈબાનો પ્રસંગ યાદ કરી પ્રમુખસ્વામી મહારાજને કહ્યું, ‘ મછિયાવનાં ફઈબાને ત્યાં શ્રીજીમહારાજ ગયા ત્યારે સાસુ-વહુના ઝઘડામાં એમણે માથાકૂટ કરવાની શી જરૂર હતી ! ફઈબાએ તો હઠ રાખી, પણ સામે શ્રીજીમહારાજે શું કરવા હઠ રાખી કે તમે અબોલાં મૂકો પછી જ હું જમીશ ! આટલો બધો આગ્રહ રાખવાની શી જરૂર હતી ? ’ 
                          સ્વામી કહે, ‘ અહં-મમત્વરૂપ માયા કહી છે. તે માયા કાઢવા માટે જ શ્રીજીમહારાજે આ કર્યું. ફઈબાને અહં હતો કે હું સાસુ છું. અહંથી ભગવાન દૂર રહે છે. આ પ્રસંગથી દુનિયામાં એક દાખલો બેઠોને કે હઠ રાખીશું તો ભગવાનથી વિખૂટા પડવું પડશે. એટલા માટે શ્રીજીમહારાજે માથાકૂટ કરી કે જેથી ભવિષ્યમાં હજારો ભક્તોને હઠ મૂકવાનો સંદેશો મળે. ’ 


  • પ્રસંગ : માનને લીધે દુઃખ

                       ઝીંઝાવદરના અલૈયા ખાચર નિષ્ઠાવાન અને સમર્પિત હરિભક્ત હતા. તેમણે ૨,૦૦૦ લોકોને સત્સંગ કરાવ્યો હતો. શ્રીજીમહારાજે ભુજથી પત્ર લખ્યો તેમાં ૧૮ ગામધણી દરબારોને સાધુ થવાનું કહ્યું હતું. તે પત્ર અલૈયા ખાચરને ઝીંઝાવદર ગામને પાદરે મળ્યો હતો. અલૈયા ખાચર પાદરેથી ઘરે કહેવા પણ ન ગયા અને ભૂજ પહોંચી ગયા ! અને એ પ્રસંગ બાદ તેમણે લગ્ન કર્યા જ ન હતાં. આજીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું. શ્રીજીમહારાજે જે સ્થાને શૌચવિધિ કરી હતી, તે સ્થળે ઝીંઝાવદરમાં અલૈયા ખાચરે ઓટો કર્યો હતો ! આટલો બધો દિવ્યભાવ તેમને હતો, પરંતુ ‘ માનરૂપી દુર્ગુણને લીધે તેઓ ખૂબ દુ:ખી થતા હતા
                     ગઢડામાં એકવાર શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ‘ અમારા હરિભક્તોમાં પ્રથમ ક્રમમાં કોણ આવે ? ’ મુકતાનંદ સ્વામીએ પ્રથમ નામ ‘દાદાખાચર’નું આપ્યું. બીજું નામ 'પર્વતભાઈ' નું આપ્યું. અલૈયા ખાચરને થયું ‘ મારું નામ પ્રથમ બમાં ન આવ્યું !! ’ અને તેમનો હાથ તલવાર પર ગયો કે મુક્તાનંદ સ્વામીને ખબર પડતી નથી, તેમનું માથું ઉડાડી દઉં ! પરંતુ શ્રીજીમહારાજ આ જોઈ ગયા. તેઓ બોલ્યા, ‘ હા હા ...મુક્તાનંદ સ્વામી ! તમે ભૂલા પડ્યા. તમે કહ્યા તે અમારા હકતો ખરા પણ અલૈયો તે અલૈયો ! આવું સાંભળ્યું ત્યારે અલૈયા ખાચરને હાશ થઇ. 
                     અલૈયા ખાચરનું માન ઘટવાને બદલે વધતું જતું હતું. તેઓ ૩-૪ મોટા પરમહંસો સિવાય અન્ય કોઈને ગણકારતા નહીં. પછી હરિભક્તોની તો વાત જ શી કરવી. એકવાર ઘેલા નદીમાં સ્નાન કરતાં સમયે શ્રીજીમહારાજે તેમનું ધોતિયું ખેંચી લીધું અને કહ્યું, ' હવે પાણીની બહાર આવો.' અલૈયા ખાચરને ખુબ જ ખોટું લાગ્યું. તેઓ ત્યાંથી જ પોતાના ગામે જતાં રહ્યા અને સત્સંગના વિરોધી બની ગયા અને ૪,૦૦૦ લોકોને સત્સંગ થી પાછા પાડ્યા !!!


  • પ્રસંગ : ઈર્ષ્યાને લીધે દુઃખ
                      ગઢડાના જીવાખાચર દાદાખાચરના સગા કાકા થાય. શ્રીજીમહારાજને ગઢડામાં પ્રથમવાર લાવનાર તેઓ જ હતા. એકવાર શ્રીજીમહારાજને થૂંકવાનું થયું. જીવાખાચરે પોતાની પાઘડી ધરી દીધી !! એકવાર શ્રીજીમહારાજને શૌચ જવાનું થયું. બહાર ધોધમાર વરસાદ હતો. જીવાખાચરે પોતાના રસોડાના ચૂલા પર શૌચ જવા શ્રીજીમહારાજને કહ્યું ! એકવાર શ્રીજીમહારાજને ખૂબ જ ઠંડી લાગતી હતી. બધાં લાકડાં બળી ગયાં તોય ઠંડી ઊડી નહીં, ત્યારે જીવાખાચરે પોતાનો મોંઘો રંગીન ઢોલિયો ફાડી નાંખ્યો અને તેનાં લાકડાંથી શ્રીજીમહારાજની ઠંડી ઉડાડી !! આટલી અદ્ભુત સેવાઓ જીવાખાચરે કરી હતી, પરંતુ શ્રીજીમહારાજ દાદાખાચરને વધુ બોલાવે-વધુ વખાણે તે તેમને જરાય ગમે નહીં. તેઓ અંદર ને અંદરથી બળી મરે. દાદાખાચર ગોળના લાડુની રસોઈ આપે તો તેઓ સાકરના લાડુની રસોઈ આપે. આમ સરખામણી ચાલ્યા કરે. 
                      સમય વીતતો ચાલ્યો. વાત ત્યાં સુધી પહોંચી કે દાદાખાચરના ઘરનાં કે વ્યવહારનાં કામ અટકી પડે તે માટે જીવાખાચરે પ્રયત્નો કર્યા. હદ તો ત્યારે વળી જ્યારે તેમણે શ્રીજીમહારાજને મારી નાંખવા માટે રામખાચરને પૈસા આપ્યા. રામખાચર શ્રીજીમહારાજના શૌચ જવાના સ્થાને તલવાર લઈને સંતાઈ ગયો, પરંતુ શ્રીજીમહારાજ ચતુર હતા તેથી રામખાચર કાંઈ ન કરી શક્યો
                     ઈર્ષ્યાને લીધે જીવાખાચર શ્રીજીમહારાજને મારવા તૈયાર થયા !!!


🙏Jai Swaminarayan🙏

--------------------------------------------

--------------------------------------------

👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,

Follow  

વાતો સત્સંગની

--------------------------------------------

--------------------------------------------



Comments