ગુરુહરીનું આજ્ઞાપાલન
(વચનામૃત:ગઢડા પ્રથમ - ૩૪)
'માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે..... ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુ:ખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ”
એક હરિભક્ત શ્રીજીમહારાજની કેડ દાબતા હતા. શ્રીજીમહારાજ કહે, ‘ ઉપર ચડીને દાબો. ' હરિભક્ત કહે, ‘ આપની કેડ પર પગ કેમ દેવાય ? ’ શ્રીજીમહારાજ કહે, ‘ મારી જીભ પર તો પગ મૂકે જ છે. ત્યાં વિચાર નથી આવતો ? ’
" આજ્ઞા લોપવી એ ભગવાન અને સંતની જીભ પર પગ દેવા બરાબર છે "
🔵 આજ્ઞાપાલનથી સુખ :
પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ હતા. તેમણે માણાવદરના ભગવાનભાઈને પત્ર લખીને ગોંડલ તેડાવ્યા. ભગવાનભાઈ તરત ગોંડલ આવ્યા. સ્વામીએ પૂછ્યું, 'બધું કામ પતાવીને આવ્યા છો ?' તેમણે કહ્યું, હા. 'સ્વામીએ કહ્યું, 'ના. એક કામ બાકી છે, ઘરે જાવ.' આજ્ઞા પાળી ભગવાનભાઈ ઘરે ગયા. ઘરે સરકારી વોરંટ આવ્યું હતું. મહેસૂલ નિમિત્તેની ખટપટમાં તેમની ૮૦ વીઘાની વાડી જપ્ત થઈ જાત અથવા તેમને છ માસ જેલની સજા થાત. પરંતુ ભગવાનભાઈએ આજ્ઞા પાળી, મહેસૂલ ભરી દીધું તેથી તેઓ બચી ગયા. આમ, સ્વામીએ તેઓની રક્ષા કરી.
🔵 આજ્ઞાલોપથી દુઃખ :
ઘણા બાળકોને પ્રશ્ન હોય છે: 'હું વાંચું છું પણ યાદ રહેતું નથી. ભણવાનો કંટાળો આવે છે.' આ પ્રશ્નો પાછળ કુસંગ આજ્ઞાલોપ કારણભૂત છે. સિનેમા- સિરિયલ-વીડિયોગેમ-કાર્ટૂનનાં વિચારો મનમાં ચડભડાટ મચાવી દે છે. શરીર પણ બગડે છે અને મન પણ અપવિત્ર બને છે. પછી ભણવાનું કેમ ગમે ? વાંચેલું યાદ કેમ રહે ? એક સત્ય ઘટના જાણીએ...
દેવાશિષ ઘોષ. આ યુવાન અમદાવાદમાં દૂધેશ્વરની બાજુમાં નાની જગ્યામાં રહેતો હતો, કોલેજમાં ભણતો ત્યારથી ઘણી વખત સત્સંગી મિત્ર સાથે મંદિરે સંતોને મળવા આવતો. અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં થ્રૂઆઉટ ગોલ્ડમેડલિસ્ટ રહ્યો હતો. દિલ્હી આઈ.આઈ.ટી.માં ૧૦ માંથી ૯.૯ પોઈન્ટ મેળવીને તો એરોનોટિક્સ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું. પછી તેણે રડાર ટેકનોલોજીમાં પીએચ.ડો. શરૂ કરી પૃથ્વીથી માત્ર ૫૦ મીટર ઊંચે જતું પ્લેન પકડી પાડે એવી રડાર ટેક્નોલોજી તણે વિકસાવી. હાર્વર્ડમાં તેનું સિનોપ્સીસ (સારાંશ) રજૂ થયું. તે જોઈ નાસાવાળા દિલ્હી આવ્યા. દેવાશિષને ઓફર કરી, ‘તું અમેરિકા આવ.' ત્યારે તેણે કહ્યું, ‘મારે મારી બુદ્ધિનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરવો છે.' તેણે જે પ્રથમ થિસિસ લખી હતી તે જોઈ ભારતના સંરક્ષણ ખાતાએ તેનો ભણવાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો. કલામ અને ચિદમ્બરમ્ દેવાશિષની થિસિસ વાંચે એવો તે હોશિયાર હતો.
પરંતુ ત્યાર પછી ખરાબ મિત્રોનો સંગ થતાં દેવાશિષ સિગારેટ, દારૂ, ડ્રગ્સ વગેરેનો વ્યસની થઈ ગયો. સંરક્ષણ ખાતાનો વિશ્વાસુ માણસ હોવાથી તેને અમુક દિવસે સંરક્ષણ વિભાગમાં હાજરી પુરાવવી પડતી, પરંતુ વ્યસનોને લીધે તે અનિયમિત થયો. સંરક્ષણ ખાતાએ તપાસ કરી તો ડ્રગ્સ વગેરે પકડાયું. તેનાં બધાં જ સર્ટિફિકેટ પર સંરક્ષણમંત્રીના લાલ સિક્કા લાગી ગયા. કે કોઈ તેને નોકરી ન આપી શકે અને જે આપે તે દેશદ્રોહી ગણાય. ત્યાર પછી તે અમદાવાદના વટવા વિસ્તારમાં કાપડના સામાન્ય પ્રોસેસ હાઉસમાં રૂ .૧૧૫૦ ની નોકરી કરતો હતો. સંતોને મળવા આવ્યો ત્યારે સર્ટિફિકેટનો થોકડો લઈને આવ્યો હતો અને રડી પડ્યો હતો.
ખરેખર, આશા, નિયમ-ધર્મ એ ભગવાનની બહુ મોટી કૃપા છે. આજ્ઞા પાળવાથી આપણી કુસંગથી રક્ષા થાય છે અને પરિણામે જન્મ મરણ અટકે છે. રાજીપો મળે છે અને અક્ષરધામ મળે છે.
🔵 સૌથી મહત્વની આજ્ઞા : સ્ત્રી-પુરુષ મર્યાદા
(વચનામૃત : લોયા -૬) ‘ ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. '
- પ્રસંગ : બ્રહ્મચર્યની દૃઢતા
- પ્રસંગ : ૧૦૦ નિયમથી ચઢિયાતો નિયમ
- સ્ત્રી-પુરુષ મર્યાદામાં દૃઢ રહી મહા-રાજીપો લેતા ભક્તો
(નોંધ : અહીં સત્યપ્રસંગમાં ગામ અને નામ બદલ્યાં છે)
પ્રમુખસ્વામી મહારાજ કહેતા : ‘ઘરેઘર ટી.વી.નું ઝેર પેઠું છે. એ ખાય તે વિનાશને પંથે જાય છે. ટી.વી. શું શીખવે છે ? ખૂન કેમ કરાય ? ચોરી કેમ થાય ? વ્યસન કેમ થાય ? બાળક અને યુવાન બધા આવું શીખે છે. ખબર ન પડે ને દૂષણ પેસી જાય છે. જોતાં સારું લાગે, પણ પછી ઝેર પ્રસરે છે ને આખું કુટુંબ છિન્ન-ભિન્ન થઈ જાય છે. એટલે ટી.વી.-સિનેમાથી દૂર જ રહેવું. જોવા જેવા તો ભગવાન અને સંત છે. એનાથી જ શાંતિ થાય, પણ ટી.વી. જોવામાં કોઈ લાભ નથી એટલે એ ન જ જોવું.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment