Posts

Showing posts from June, 2021

તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૧

Image
પ્રસંગ : ગુરુના દર્શનનું ખેચાણ                                             ૦૧-૦૧-૨૦૦૦. અમદાવાદ. સંતોએ પ્રમુખસ્વામી મહારાજને  કહ્યું : “ગોંડલમાં આપને ઘનશ્યામ મહારાજે સાક્ષાત્ દર્શના આપ્યા તે પ્રસંગ સાંભળવાની ઇચ્છા છે.'                      સ્વામી કહે : ‘આ પ્રસંગ હું દીક્ષા પછી ગોંડલ ભણવા માટે રહ્યો'તો એ વખતે બન્યો હતો. શાસ્ત્રીજી મહારાજ વિષે સ્વાભાવિક હેત ને છુટા પડેલા એટલે યાદ આવે. વળી ત્યાં મને ઘનશ્યામ મહારાજની સેવા મળેલી. ગોંડલમાં સવારે ૪-૩૦ વાગે જેતલપુર તરફથી ગાડી આવતી હતી. હું ઘણી વખત સ્વામીને યાદ કરું અને તે દિવસે એ ભ્રમણામાં સૂતો હતો. પછી જાગ્યો, નાહ્યો-ધોયો, પૂજા કરતો હતો ને કોઈકે કહ્યું કે ‘શાસ્ત્રીજી મહારાજ આવ્યા. એટલે મે પૂજા મૂકી ને દોડ્યો કે 'ક્યાં છે ?'                      મંદિરનાં પગથિયાં આગળ ગયો ને પૂછ્યું કે 'શાસ્ત્રીજી મહારાજ આવ્યા એ ક...

ભગવાનની પ્રાપ્તિ. લેખ-૧

મુદ્દો-૧ : " અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે   " પ્રસંગ : બીજા જન્મે ભગવાનની પ્રાપ્તિ થઈ                    વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠે શ્રીરંગજીનું મંદિર બનાવ્યું હતું. તેના આંગણામાં ૨૨ મણ સોનાથી મઢાવેલો કીર્તિસ્તંભ બનાવ્યો હતો. તેઓ દરરોજ સદાવ્રત આપતા. એકવાર પરમહંસ સુખાનંદ સ્વામી સદાવ્રતના સ્થળે દૂર ઊભા હતા. તેથી શેઠે આશ્ચર્યથી આ બાબતે તેમને પૂછ્યું ત્યારે સુખાનંદ સ્વામીએ સ્ત્રી-ધનના ત્યાગની અને ભગવાન સ્વામિનારાયણ વિશેની વાત કરી. એ દિવસે લક્ષ્મીચંદ શેઠને રાત્રે શાંતિથી ઊંઘ આવી ગઈ.                   લક્ષ્મીચંદ શેઠે સંતોને અત્તરની શીશી આપી અને શ્રીજીમહારાજને વૃંદાવન પધારવા વિનંતી કરી. ગઢડામાં આ અત્તર લઈને શ્રીજીમહારાજે સર્વ સંતોને નાકે ચચર્યું અને કહ્યું, ‘તમારું નાક (આબરૂ) રહેશે અને બીજા ભેખ ધૂળધાણી થઈ જશે.' પછી બોલ્યા, ‘આ લક્ષ્મીચંદ શેઠનાં પુણ્ય હજી ઉદય થયાં નથી. તેથી અમારો યોગ થશે નહીં, પરંતુ તેમની આ સેવાથી આવતા જન્મે તેમને અમારો યોગ થશે.'    ...