Posts

Showing posts from April, 2022

ભગવાનની પ્રાપ્તિ. લેખ-૨

Image
મુદ્દો-૧ : " આશ્ચર્યકારી સૂક્ષ્મ સૃષ્ટિના રચયિતા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : થોડાં પુણ્યે યોગ ન થાય                     નીલકંઠવર્ણી મઢડા ગામે જેઠા મેરના ઘરે પધાર્યા. કારણ કે જેઠા મેર અને તેમનાં પત્ની ૧૦૦ જન્મથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં હતાં. તેવી સાધનાના ફળરૂપે વર્ણી તેમના ઘરે  પધાર્યા હતા.  જેઠા મેરે રસોઈ કરી વર્ણીને જમાડ્યા.  જમીને   વર્ણી સૂઈ ગયા.                     જેઠા મેર અને તેમનાં પત્ની દર્શન કરતાં હતાં. તેમણે જોયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા અનંત અવતારો સૂતેલા વર્ણીનાં દર્શન અને સેવા માટે આવ્યા હતા ! પતિ-પત્ની પોતાનાં ભાગ્ય માનવા લાગ્યાં કે કેવા દુર્લભ ભગવાન આપણા  માટે પધાર્યા. મુદ્દો-૨ : " સર્વ કર્તાહર્તા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : મરજી વિના પાંદડું પણ ન હલે                     વીસનગરો સુબો લાલદાસ શ્રીજીમહારાજનો દ્વેષી હતો, તે સત્સંગીને ખૂબ હેરાન કરતા હતો. ગઢડામા...

દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૩

  મુદ્દો-૧ :  "  પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં  " (૧)  શારીરિક દુઃખ લાગે નહીં  :                                  શાસ્ત્રીજી મહારાજ એકવાર ટ્રેનમાં જતા હતા. એવામાં તેમને ઊભા થવાનું થયું. અજાણતાં તેમનું માથું ઉપરની બર્થ સાથે જોરથી ભટકાયું. શાસ્ત્રીજી મહારાજ તો શાંત જ રહ્યા કે જાણે કઈ થયું જ નથી. હરિભક્તોએ પૂછ્યું, ‘ સ્વામી ! બહુ  વાગ્યું હશે ! '  ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા , ‘ ધૂળ સાથે ધૂળ   ભટકાઈ, એમાં દુઃખ શું લગાડવાનું ! '  (૨)  માનસિક દુઃખ લાગે નહીં  :                      સને ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકાના પ્રવાસ દરમ્યાન હર્ષદભાઈ રાણાએ પ્રશ્ન પૂછ્યો હતો, ‘ બાપા ! એવું કોઈ ઇરેઝર (રબર) છે, જે ફેરવવાથી સુખ-દુ:ખ, માન અપમાન બધું ભૂંસાઈ જાય ? ’ સ્વામી તરત બોલ્યા હતા, ‘ એવું રબર તો આપેલું જ છે, પણ કોઈ વાપરતું નથી. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે તે - નિજાત્માનં...

દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૨

મુદ્દો-૧ :  "  પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં  " (૧)  શારીરિક દુઃખ લાગે નહીં  :                   ૧૨-૭-૨૦૧૭. શિકાગો (અમેરિકા). છેલ્લા ૪ મહિનાથી મહંતસ્વામી મહારાજને પેટમાં દુઃખાવો થતો હતો. જમવાની રુચિ જ થતી ન હતી. એ નિમિત્તે અહીં એક ખાસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેઓએ સ્વામીશ્રીની તપાસ કરી એક દવાનું સૂચન કર્યું અને કહ્યું, ‘ આ દવા લેવાથી તેઓ ખુશ રહેશે. ' સ્વામીશ્રી તરત જ કહે, ‘ અમે તો કાયમ ખુશ જ હોઈએ છીએ. ’                     પછી કહે, ‘ આ તો પૂછ્યું એટલે દુ:ખાવાની વાત કરી. બાકી તો ચાલ્યા જ કરે. કોલકાતાથી દુઃખાવો ચાલે છે. ' સેવક સંતે ડૉક્ટરને પૂછ્યું, ‘ આ દવા ન લેવાય તો ? ’ ડૉક્ટર કહે, ‘ તો દુઃખાવો ખૂબ જ વધી જવાની શક્યતા છે. હાલ પણ દુઃખાવો તો છે જ. ’                    સ્વામીશ્રી કહે, ‘ આત્મબળથી બધું ચાલે છે. ' ડૉક્ટર કહે, ‘ આપની વાત સાચી છે. આપ ખૂબ જ મજબૂત છો. બાકી પેટનું આવું દુ:ખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ...

પંચવિષયરૂપી માયા જન્મ પર જન્મ લેવડાવે છે

મુદ્દો ૧ :  લોભને લીધે ફરી જન્મ   પ્રસંગ :   લોજ ગામમાં બે બાવાજી આવ્યા. તેમાં ગુરુનું નામ જાનકીદાસ અને શિષ્યનું નામ શીતલદાસ. ગુરુ જાનકીદાસે શ્રીજીમહારાજને કહ્યું, ‘ અમે દ્વારિકા જઈએ છીએ. અમારા પુસ્તકની આ પોથી સાચવી રાખજો .                       થોડા સમય બાદ શિષ્ય શીતલદાસ લોજ આવ્યો. કહે, ‘ગુરુજી રસ્તામાં મૃત્યુ પામ્યા છે. તેથી તેમની પોથી મને પાછી આપો. ‘શ્રીજીમહારાજે પોથી આપી અને ખોલવા કહ્યું. તેમાં પુસ્તકની સાથે એક ડબ્બી હતી. શ્રીજીમહારાજે તે ડબ્બી ખોલવા કહ્યું. શિષ્યે જોયું કે એ ડબ્બીમાં ૫૦ પૈસા અને સાપનો કણો (બચ્ચું) હતા. શિષ્ય શીતલદાસ આશ્ચર્ય પામ્યો. શ્રીજીમહારાજ કહે, ‘ આ સાપ નથી તમારા ગુરુ છે. તેઓ આ ડબ્બીમાં પૈસા રાખતા હતા. મરતાં સમયે તેમનું મન પૈસામાં હતું તેથી તેઓ હાલ સાપનો જન્મ પામ્યા છે. ’                      આ રીતે લોભ, સ્વાદ, કામ વગેરે ઇચ્છાઓને લીધે આપણે જન્મ પર જન્મ લેવા પડે છે. (૮૪ લાખ જન્મ) મુદ્દો ૨ :  અહંને લીધે ફરી-ફરી જન્મ   પ્રસંગ ...