Posts

તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૨

પ્રસંગઃ ગુરુમાં આત્મબુદ્ધિ = બ્રહ્મરૂપ                         તા . ૨૩-૫-૧૯૮૬. મુંબઈ, નીલકંઠ મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે, ' બ્રહ્મરૂપ થવું એટલે શું ? ' પ્રમુખસ્વામી મહારાજ કહે, સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું, પછી આપણામાં બીજો ભાવ ન રહે કે હું નીલકંઠ છું, વાણિયો છું. સત્પુરુષ એ જ આપણું થાય  સર્વસ્વ છે.  જેટલું આજ્ઞા પ્રમાણે વર્તાય, સત્પુરુષમાં વધારે હેત થાય  એટલા બ્રહ્મરૂપ. ’.   પ્રસંગ : ગુરુમાં જોડાણ કોને કહેવાય ?                       સને ૧૮૬૧. મુંબઈ. નૈરોબીના છગનભાઈનો પત્ર હતો. તેમાં લખ્યું હતું કે, ' જેમ ભારતમાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે અને જેવી રીતે અહીં આફ્રિકામાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે, તેવી રીતે અમે આપમાં જોડાઈ જઈએ તેવી અમારી ઉપર દૃષ્ટિ કરશો. ’                         આ વાત સાંભળી ત્યારે યોગીજી મહારાજ કહે, ‘ લ્ય...

સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ

" સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ " આર્થિક સંતુલનનો આગ્રહ                      ૨૮-૮-૨૦૦૪. લંડન. મંદિરના ઘુંમટમાં રમકડાંનો હિંડોળો કરવામાં આવ્યો હતો. આસપાસ બાળકો બેઠા હતા. તિલક નામનો બાળક સોનાની વીંટી પ્રમુખસ્વામી મહારાજના હાથમાં મૂકવા ગયો. તે કહે, ‘ ઘનશ્યામ મહારાજ માટે છે. ' સ્વામીએ વીંટી લીધી નહીં. પૂછ્યું, ‘ ક્યાંથી લાવ્યો ? ' તે કહે, ‘ મમ્મીએ આપી. ' સ્વામી કહે, ‘ પપ્પા તો ના પાડતા હતા. ' તે કહે, ‘ એમણે પણ હવે હા જ પાડી છે. ' સ્વામી કહે, ‘ તો સારું. ’ પછી સ્વામીએ તિલક દ્વારા વીંટી ઠાકોરજીનાં ચરણોમાં અર્પણ કરાવી. ત્યારબાદ તિલકના પિતા લલિતભાઈને મળ્યા ત્યારે તેમને પણ વીંટી અંગે પૂછી લીધું કે તિલક પૂછ્યા વિના વીંટી લાવ્યો નથીને !                      ૯-૧-૨૦૦૫. એક નાના સેન્ટરમાં સુનામી પીડિતો માટે કેટલાક રૂપિયાનું દાન આવ્યું હતું. ગામના આગેવાનોએ સલાહ આપી કે ‘ વધેલા પૈસા તમારા મંદિરના બાંધકામ માટે વાપરી શકાશે. ' પ્રમુખસ્વામી મહારાજ તરત જ કહે, ‘ સુનામીના પૈસા સંસ્થામાં વપરાય જ નહી...

મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૨

🔶   મુદ્દો -૧ :  આપણે પણ મનુષ્યભાવને લીધે પાછા પડીએ છીએ (૧) સત્પુરુષના આશીર્વાદ ન ફળે ત્યારે                    આપણે સ્વામીશ્રીને પત્ર લખ્યો હોય, તેમની મુલાકાત લીધી હોય કે ફોન પર કાંઇક આશીર્વાદ માંગ્યા હોય. તેમણે આપ્યા હોય કે ‘ જાઓ, કામ થઈ જશે ! ' અને કામ ન થાય. ઊલટું ક્યારેક કામ વધુ બગડે ત્યારે આપણને એમ થાય કે તેઓ ખરેખર ભગવાનનું સ્વરૂપ હશે કે નહીં ! ઉપાય : આપણે ફક્ત આ જન્મનું સારું - ખરાબ દેખાય છે. મોટાપુરુષને અનંત જન્મનું યોગ્ય - અયોગ્ય દેખાતું હોય છે. તેઓને આપણું કલ્યાણ કરવું છે, તે માટે આ જન્મે થોડું દુ:ખ આપીને પણ તેઓ આપણી વાસના ટાળે છે. આ તેઓના સૌથી મોટા આશીર્વાદ છે. ભક્તોના દુશ્મન ભગવાન કે સંત ક્યારેય હોય જ નહીં.  પ્રસંગ : રોગ મટે નહીં તેનું કારણ હોય છે                   ગાનાના મગનભાઇ પ્રભુદાસને ત્રીજી વાર પરણવાની ઇચ્છા હતી. ત્યારે તેમને ભયંકર રોગ થયો. તેનાથી છૂટવા તેમણે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે, ‘ ધામમાં લઈ જાવ. '            ...

મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૧

  🔶   મુદ્દો -૧  "  આખી દુનિયા મનુષ્યભાવને લીધે દુઃખી છે "   પ્રસંગ : સતીને દુઃખ આવ્યું                        સતી એટલે પાર્વતીજી. રાવણ સીતાજીને ઉપાડી ગયો ત્યારે રામ ભગવાને સીતાજીને શોધવા માટે વ્યાકુળ થઈ ગયા હતા. તે વખતે સતીને રામ ભગવાનની પરીક્ષા કરવાની ઇરછા થઈ. શિવજીએ ના પાડી છતાં સતી સીતાજીનું રૂપ લઈ રામ પાસે ગયાં. એમને મનમાં એમ કે ભગવાન રામ મને જોતાં તરત જ ઘેલા થઈ જશે, પણ થયું ઊલટું જ.                             રામ ભગવાને તરત જ કહ્યું : “ માતા ! એકલા કેમ છો ? શિવજી ક્યાં ?' અને સતી ભોંઠા પડી ગયાં, પછી સતી શિવજી પાસે આવ્યાં. શિવજીએ તેમને બધું પૂછ્યું, પણ સતીએ છુપાવ્યું. શિવજીએ ધ્યાનમાં આખું ચરિત્ર જોયું અને તેમને બધો ખ્યાલ આવી ગયો.                              સતીએ સીતાજીનો વેશ ધર્યો તેથી શિવજીના હૃદયમાં ઘણો જ ખેદ થયો, શિવજી કહે,' તમને રામચંદ્રજીએ માતા કહ...

મહિમાનો વિચાર

 પ્રસંગ : ભક્તોમાં મુક્તોનાં દર્શન                                   ૧-૭-૨૦૦૧. રાજકોટ . પ્રમુખસ્વામી મહારાજ પ્રતીક ઉત્તરાયણ પર્વ નિમિત્તે આહલેક માટે સજ્જ થઈ ચૂક્યા હતા. ત્યાં ઉપરથી એક પ્લેન ઊડ્યુ. તેની ઘરઘરાટીને લીધે સ્વામી થોડીવાર મૌન ઊભા રહ્યા. શ્રીકૃષ્ણ પંડ્યા કહે, ‘ દેવતાઓ આપની પ્રદક્ષિણા ફરે છે. દેવતાઓ પણ ઝોળી આપવા આવ્યા છે. ’                      સ્વામી કહે, ‘ દેવતાઓ અહીં અક્ષરધામના મુક્તો બેઠા છે એનાં દર્શન કરે છે. દેવો તો બધા ઉપર ઊડ્યા કરે. આપણે તો અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠેલા મુક્તોનાં દર્શન કરીએ છીએ. ’  પ્રસંગ : ભક્તો બ્રહ્મની મૂર્તિ                      સને ૧૯૬૫. ગોંડલ. એક બપોરે ગુણવંતભાઈ એક યુવકની વાત કરતાં યોગીજી મહારાજને કહે, ‘ બાપા ! એ સેવા કરતા નથી ને બીડી પીવે છે. ’ સ્વામી કહે, ‘ તમે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે ? ’ તેઓ કહે, ‘ ના. ’ યોગીબાપા કહે, ‘ એણે શ...

ભગવાનની પ્રાપ્તિ. લેખ-૩

મુદ્દો-૧ : " સાકાર-દિવ્ય ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે   "  પ્રસંગ : સાકાર ભગવાનનાં દર્શન                         શીતળદાસ નામે એક મુમુક્ષ બ્રાહ્મણ હતાં.  રામાનંદ  સ્વામીની ખ્યાતિ સાંભળીને તેઓ તેમનાં દર્શન કરવા લોજમાં આવ્યા હતા, પરંતુ રામાનંદ સ્વામી થોડા દિવસ પહેલા જ અંતર્ધાન થયા છે તે સાંભળીને, નિરાશ થઇને, તેમણે પાછા જવા વિચાર કર્યો.                       તેવામાં શ્રીજીમહારાજે તેઓને સમાધિ કરાવી. જેમાં 14 અવતારો ને રામાનંદ સ્વામી શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે, તેવાં તેમને દર્શન થયાં. સમાધિમાં શ્રીજીમહારાજની તેઓએ પૂજા કરી. પરંતુ અક્ષરધામના અનંત મુક્તાની પૂજા કરવાની પણ તેઓને ઇચ્છા થઇ. તેમની ઇચ્છા જાણી શ્રીજીમહારાજ તેમને કહે, ‘ આ એક-એક અવતાર અને રામાનંદ સ્વામી પુરુષોત્તમ હોય, તો મારાં અનંત સ્વરૂપો થાઓ... એમ સંકલ્પ કરો. ' પછી તેમણે તેવો સંક્લ્પ કર્યો. પરંતુ તેમના અનેક સ્વરૂપો ન થયાં.                      પછ...

ભગવાનની પ્રાપ્તિ. લેખ-૨

Image
મુદ્દો-૧ : " આશ્ચર્યકારી સૂક્ષ્મ સૃષ્ટિના રચયિતા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : થોડાં પુણ્યે યોગ ન થાય                     નીલકંઠવર્ણી મઢડા ગામે જેઠા મેરના ઘરે પધાર્યા. કારણ કે જેઠા મેર અને તેમનાં પત્ની ૧૦૦ જન્મથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં હતાં. તેવી સાધનાના ફળરૂપે વર્ણી તેમના ઘરે  પધાર્યા હતા.  જેઠા મેરે રસોઈ કરી વર્ણીને જમાડ્યા.  જમીને   વર્ણી સૂઈ ગયા.                     જેઠા મેર અને તેમનાં પત્ની દર્શન કરતાં હતાં. તેમણે જોયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા અનંત અવતારો સૂતેલા વર્ણીનાં દર્શન અને સેવા માટે આવ્યા હતા ! પતિ-પત્ની પોતાનાં ભાગ્ય માનવા લાગ્યાં કે કેવા દુર્લભ ભગવાન આપણા  માટે પધાર્યા. મુદ્દો-૨ : " સર્વ કર્તાહર્તા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : મરજી વિના પાંદડું પણ ન હલે                     વીસનગરો સુબો લાલદાસ શ્રીજીમહારાજનો દ્વેષી હતો, તે સત્સંગીને ખૂબ હેરાન કરતા હતો. ગઢડામા...

દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૩

  મુદ્દો-૧ :  "  પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં  " (૧)  શારીરિક દુઃખ લાગે નહીં  :                                  શાસ્ત્રીજી મહારાજ એકવાર ટ્રેનમાં જતા હતા. એવામાં તેમને ઊભા થવાનું થયું. અજાણતાં તેમનું માથું ઉપરની બર્થ સાથે જોરથી ભટકાયું. શાસ્ત્રીજી મહારાજ તો શાંત જ રહ્યા કે જાણે કઈ થયું જ નથી. હરિભક્તોએ પૂછ્યું, ‘ સ્વામી ! બહુ  વાગ્યું હશે ! '  ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા , ‘ ધૂળ સાથે ધૂળ   ભટકાઈ, એમાં દુઃખ શું લગાડવાનું ! '  (૨)  માનસિક દુઃખ લાગે નહીં  :                      સને ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકાના પ્રવાસ દરમ્યાન હર્ષદભાઈ રાણાએ પ્રશ્ન પૂછ્યો હતો, ‘ બાપા ! એવું કોઈ ઇરેઝર (રબર) છે, જે ફેરવવાથી સુખ-દુ:ખ, માન અપમાન બધું ભૂંસાઈ જાય ? ’ સ્વામી તરત બોલ્યા હતા, ‘ એવું રબર તો આપેલું જ છે, પણ કોઈ વાપરતું નથી. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે તે - નિજાત્માનં...

દુ:ખો શાથી જન્મે છે ?? લેખ-૨

મુદ્દો-૧ :  "  પોતાને આત્મા માનીએ તો કોઈ દુ:ખ લાગે નહીં  " (૧)  શારીરિક દુઃખ લાગે નહીં  :                   ૧૨-૭-૨૦૧૭. શિકાગો (અમેરિકા). છેલ્લા ૪ મહિનાથી મહંતસ્વામી મહારાજને પેટમાં દુઃખાવો થતો હતો. જમવાની રુચિ જ થતી ન હતી. એ નિમિત્તે અહીં એક ખાસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેઓએ સ્વામીશ્રીની તપાસ કરી એક દવાનું સૂચન કર્યું અને કહ્યું, ‘ આ દવા લેવાથી તેઓ ખુશ રહેશે. ' સ્વામીશ્રી તરત જ કહે, ‘ અમે તો કાયમ ખુશ જ હોઈએ છીએ. ’                     પછી કહે, ‘ આ તો પૂછ્યું એટલે દુ:ખાવાની વાત કરી. બાકી તો ચાલ્યા જ કરે. કોલકાતાથી દુઃખાવો ચાલે છે. ' સેવક સંતે ડૉક્ટરને પૂછ્યું, ‘ આ દવા ન લેવાય તો ? ’ ડૉક્ટર કહે, ‘ તો દુઃખાવો ખૂબ જ વધી જવાની શક્યતા છે. હાલ પણ દુઃખાવો તો છે જ. ’                    સ્વામીશ્રી કહે, ‘ આત્મબળથી બધું ચાલે છે. ' ડૉક્ટર કહે, ‘ આપની વાત સાચી છે. આપ ખૂબ જ મજબૂત છો. બાકી પેટનું આવું દુ:ખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ...