Posts

Showing posts from May, 2021

ગુરુહરીનું આજ્ઞાપાલન

( વચનામૃત:ગઢડા પ્રથમ - ૩૪)                 'માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે..... ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુ:ખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ”                             એક હરિભક્ત શ્રીજીમહારાજની કેડ દાબતા હતા. શ્રીજીમહારાજ કહે, ‘ ઉપર ચડીને દાબો. ' હરિભક્ત કહે, ‘ આપની કેડ પર પગ કેમ દેવાય ? ’ શ્રીજીમહારાજ કહે, ‘ મારી જીભ પર તો પગ મૂકે જ છે. ત્યાં વિચાર નથી આવતો ? ’  " આજ્ઞા લોપવી એ ભગવાન અને સંતની જીભ પર પગ દેવા બરાબર છે " 🔵   આજ્ઞાપાલનથી સુખ :                   પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ હતા. તેમણે માણાવદરન...

અહં-મમત્વમાંથી જ જન્મે છે....

Image
" અહં-મમત્વમાંથી જ જન્મે છે ક્રોધ અને ઈર્ષા " 🔵  ક્રોધથી દુઃખ                  સિકંદરનો એક અંગત મિત્ર હતો. તેણે યુદ્ધમાં સિકંદરને ત્રણવાર મરતાં-મરતાં બચાવ્યો હતો. એકવાર તો તેણે દુશ્મન દ્વારા સિકંદર પર ઝીંકાયેલી તલવાર વચ્ચે આવી પોતા પર ઝીલી લીધી હતી ! જેમાં એનો એક હાથ કપાઈ ગયો હતો. પરંતુ એકવાર બંને વચ્ચે નાની વાતમાંથી બોલાચાલી થઈ. તેમાં સિકંદરે ક્રોધમાં આવી મિત્રનું માથું ઉડાડી દીધું ! પછી સિકંદરને ઘણો પસ્તાવો થયો હતો. તેણે ૩ દિવસ સુધી ખાધું પણ નહીં. પણ હવે શું થાય !  🔵  ઈર્ષ્યાથી દુઃખ                  સ્વિટ્ઝર્લેન્ડ દેશના બ્રિગેડિયર જનરલ જીન લુઈસને પ્રમોશન મેળવી ચીફ બનવાની ખૂબ જ મહત્ત્વાકાંક્ષા હતી, પરંતુ તેને તે તક ન મળી. તેના સમકક્ષ બીજા ઓફિસરને આર્મી ચીફ બનાવવામાં આવ્યો ! જીનને ઈર્ષ્યા જાગી. પેલા ચીફનું ખોટું દેખાય તે માટે તેણે લશ્કરના ખાનગી દસ્તાવેજો રશિયાને આપી દીધા ! જીન લુઈસ ૬૮ વર્ષે નિવૃત્ત થયો. કાવતરું પકડાઈ જતાં તેના બીજા વર્ષે તેને દેશદ્રોહ બદલ ૧૮ વર્ષની જેલ થઈ ! બીજી બ...

રાજીપાનો વેગ

પ્રસંગ : મોક્ષ અને જમીન બંને મળ્યા                       ઝીંઝાવદરથી લોયા જતાં શ્રીજીમહારાજને રસ્તામાં તરસ લાગી. સુરાખાચરે બાજુના ખેતરમાં નાના બાળક પાસે જઈ પાણી માગ્યું. બાળકે ગાળેલા પાણીની નવી માટલી આપી.                        સુરાખાચર બાળકને સમજાવતાં કહે, ‘ ભગવાન તને કંઈ માંગવાનું કહે તો બીજું કંઈ ન માગતો પણ મોક્ષ માંગજે. ’ બાળક કહે, ‘ અમારી ૩૦ વીઘા જમીન બાજુના ખેતરવાળાએ દબાવી છે તે ન કહું ? ’ સુરાખાચર કહે, ‘ તેના આશીર્વાદ તો મળશે જ. ’ બાળકે તે પ્રમાણે મોક્ષ માંગ્યો. શ્રીજીમહારાજ કહે, ‘ આગળ મોટા - મોટાને ન આવડ્યું એવું આને માગ્યું ને મારા સંકલ્પે તેમની જમીન પણ મળી જશે.   પ્રસંગ : કઠિયારામાથી દીવાન બન્યા                                  શિયાળાની એક સાંજે ઠંડી વધી ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ મનજી ઠક્કરને દૂર બેઠેલા કઠિયારા પાસેથી લાકડાં લાવવા કહ્યું. કઠિયારા બાઉદ્દીન અને તેની માએ સ્વામ...

અહં અને મમત્વરૂપ માયા કરાવે છે દુઃખ

Image
🔵 અહં - મમત્વ એટલે શું ?                       અહં એટલે માન. અભિમાન. ગર્વ. અહંકાર. ‘ હું જ સર્વશ્રેષ્ઠ છું. હું વિચારું એ જ સાચું. મારા કરતાં કોઈ આગળ વધવો ન જોઈએ.' આવા વિચારો એટલે અહં. વ્યક્તિને સત્તા, બળ, રૂપ, વિદ્વત્તા-બુદ્ધિ, આવડત વગેરેનું અભિમાન હોય છે. ‘ હું શરીર છું. ” એ મૂળ વિચારમાંથી આ બધા વિચારો જન્મે છે.                      મમત્વ એટલે મારું, ‘ મારું શરીર, મારાં માતા-પિતા, મારું કુટુંબ, મારી જ્ઞાતિ, મારો દેશ.' એ રીતે શરીર સાથે જોડાયેલું બધું મારું છે - એવા વિચારો એટલે મમત્વ.                     દુનિયામાં જે કાંઈ ઝઘડા, બોલાચાલી, છૂટાછેડા, યુદ્ધો વગેરે થાય છે તેનું કારણ:અહં - મમત્વ છે. આખી દુનિયા માયાના આ બંધનમાં દુઃખી. 🔵  અહં - મમત્વથી વ્યક્તિગત દુઃખ (દુર્યોધન)                મહાભારતના યુદ્ધમાં લાખો લોકો મરાયા. કરોડોની સંપત્તિનું નુકસાન થયું. કારણ શું ? દુર્યોધનનો અહંકા...

ગુણાતીત દાખડો

Image
પ્રસંગ : ૮૦૦ કલાકની ઊંઘ                  ૨૪-૨-૨૦૧૭ વિધ્યાનગર, રાત્રે ૯.૫૫ વાગ્યા , સેવક સંતે ઘડિયાળ દેખાડી કહ્યું, ‘ પોઢો ... ' મહંતસ્વામી મહારાજ કહે, ‘ બહુ વહેલું છે. ” સેવક સંત કહે, ‘ આપ કહો છોને કે ૮૦૦ કલાકની ઊંઘ ભેગી થઈ છે ! તો આજે થોડા વહેલા આરામમાં જાઓ. ” સ્વામીશ્રી કહે, ‘ એમ તો ઘણું ભેગું થયું છે. '                 ૮૪ વર્ષ સુધી સ્વામીશ્રીએ પણ સત્સંગ પ્રસાર માટે ખૂબ જ ભીડો વેઠયો છે, વિચરણ કર્યું છે, સૌને રાજી કર્યા છે. પ્રસંગ : ભીડો અપરંપાર                     તા . ૩૧-૧૦-૨૦૦૬ , લંડન, બપોરે ભોજન દરમ્યાન લંડનના જૂના  વિચરણની વીડિયો દેખાડવામાં આવો. તેમાં સને ૧૯૭૪ થી ૨૦૦૪ સુધીના વિચરણની વીડિયોનાં પસંદગીના ક્લિપિંગ્સ હતાં. સને ૧૯૭૭ ના વિચરણનું વર્ષ આવતાં પ્રમુખસ્વામી મહારાજ પોતે જ વર્ણન કરતાં કહે, ‘ સવારે પાંચ વાગ્યે નીકળીએ ને રાત્રે ૧૨-૦૦ વાગ્યે પાછા ઉતારે પહોંચીએ. સવારે પરવારીને પૂજા બીજા સ્થળે કરવાનો. નાસ્તો ક્યાંય બીજે હોય. વળી પધરામણીઓ હોય.બપો...

સત્સંગ

પ્રસંગ : ૪૦૦ કુટુંબોને સત્સંગી કર્યા                         મુંબઈના શંકર ભગત. તેમનું વર્તન સાહજિક એવું કે નવા હરિભક્તોને કાર્યકર થવાની પ્રેરણા મળે. સને ૧૯૭૪ માં તેમનાં પત્ની ધામમાં ગયાં. તેમને ૨ નાના દીકરા હતા. તેઓ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીને મળ્યા. સ્વામી કહે, ‘ હવે બીજા લગ્ન ન કરતા. તમે મહારાજનું સત્સંગનું કામ કરજો, શ્રીજીમહારાજ તમારો ઘર-વ્યવહાર ચલાવશે. ’ આથી તેઓ સત્સંગ પ્રચારનો જ વિચાર રાખવા લાગ્યા.                 તેઓ અત્યારે મલાડમાં એકલા રહે છે. રોજ સવારે બે ટાઇમનું રાંધી લે છે. હીરામાં દલાલી કરી સાંજે ૫ વાગ્યે પાછા આવે છે. હાલ તેઓ કોઈ નિમાયેલા કાર્યકર નથી, પરંતુ તેમણે ઉત્તર ગુજરાતના પોતાના ગામ એવા ગઢ ગામમાં ખૂબ સત્સંગ કરાવ્યો છે. ગઢ ગામની આસપાસનાં ૧૬ ગામનાં ૧,000 કુટુંબો મુંબઈમાં વસે છે. શંકર ભગતે બધાંને સત્સંગ કરાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં બધા તેઓને ધુત્કારતા,ટી.વી. જોતા હોય તો સામે પણ ન જુએ. છતાં શંકર ભગત શ્રદ્ધાથી બધાના ઘરે બેસે અને પ્રેમથી વાત સમજાવે.    ...

સંપ-સુહૃદભાવ-એકતા

Image
" સંતો-ભક્તોના દાસ થઈને વર્તવું. સંપ રાખવો " દાસ એટલે શું ? સંપની ઊંચામાં ઊંચી સ્થિતિ એટલે દાસપણું. તેથી દાસનાં ૪ લક્ષણ આ મુજબ કહી શકાય. ( ૧ ) સંતો - હરિભક્તોનું ખમવું : સહન કરવું. તેમને માફી આપવી, ( ૨ ) સંતો - ભક્તો માટે ઘસાવું  : તેમને મદદ કરવી,  ( ૩ ) સંતો - ભક્તો પાસે મનગમતું મૂકવું અને ( ૪ ) સંતો - ભક્તોને અનુકૂળ થવું .  આ ૪ લક્ષણો આપણામાં આવે ત્યારે આપણે ‘દાસ’ થયા કહેવાઈએ , દાસના દાસ યોગીરાજ પ્રસંગ-૧                     સંવત ૧૯૭૮. અગાઉ પત્ર મોકલ્યો હતો છતાં જૂનાગઢ નજીકના સ્ટેશને કોઈ હરિભક્ત લેવા ન આવ્યું. વિજ્ઞાનદાસ સ્વામી ખૂબ ગુસ્સે થયા. તેમણે અપશબ્દો સાથે મારઝૂડ કરી. યોગીજી મહારાજ પાણી લેવા જતા હતા તો ના પાડી, ‘ આજે તો તું દુ:ખી થા ને હુંય દુ:ખી થઉં. ' યોગીજી મહારાજે ગામ તરફ ચાલવા માંડ્યું. વચ્ચે રસ્તામાં વિજ્ઞાનદાસ સ્વામી કહે, ' જોગી પાણી લાવ. ' યોગીજી મહારાજ બાજુના ગામમાં પાણી શોધવા ગયા. ગામમાં કોઈનું મરણ થયેલું તેથી કોઈએ પાણી ન આપ્યું. આથી વિજ્ઞાનદાસ સ્વામી ખૂબ ગુસ્સે થયા, આગળ કૂવો આવતાં યોગીજી મહારાજે ઠાકો...

ભગવાનના કર્તાપણાનો વિચાર

Image
:- સફળતા મળે તોપણ ભગવાનની ઇચ્છા  -: પ્રસંગ : વરસાદ મેં વરસાવ્યો જ નથી                             ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઊજવાશે એની જાહેરાતો બધે જ થઈ ચૂકી હતી, પણ વરસાદ ખૂબ ખેંચાયો. નિર્ણય એવો લેવાયો કે ઉત્સવ ૫૯ દિવસોને બદલે ૪-૫ મુખ્ય દિવસો પૂરતો ઊજવવો. મીટિંગ બાદ ઊભા થતાં-થતાં પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘ ભલે આપણે આ નિર્ણય લીધો પણ મને શ્રદ્ધા છે કે વરસાદ પડશે. અમે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ”                   આ અરસામાં બીજો પ્રસંગ બન્યો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અમદાવાદમાં લાલ દરવાજે બસસ્ટેન્ડ ઉપર લાઇનમાં ઊભા હતા. બાજુમાં આપણા એક હરિભક્ત ઉપેન્દ્ર રાવલ ઊભા હતા, બાબુભાઈ તેમને કહે, ‘ પ્રમુખસ્વામી ઉત્સવ લઈને બેઠા છે, પણ વરસાદ નથી તો ન ઊજવે તો સારું.’ ઉપેન્દ્રભાઈ કહે, ‘ વરસાદ પડશે જ.’ બાબુભાઈએ પૂછ્યું, ‘ તમને શાથી ખાતરી છે ? ' ઉપેન્દ્રભાઈએ જવાબ આપ્યો, ' પ્રમુખસ્વામીએ કહ્યું છે એટલે. સ્વામી તો સમર્થ અને અંતર્ય...